મેમોગ્રાફી એટલે શું?
- આ એક પ્રકારનો એક્સ-રે છે જેમાં સ્તનના ૨ અલગ અલગ દિશાએથી ફોટો પાડવામાં આવે છે
તે શા માટે કરવામાં આવે છે ?
- કેન્સરના સ્ક્રીનિંગ માટે કે જે થી તેનું વહેલું નિદાન થઈ શકે અને જીવ બચી શકે
- કેન્સરના નિદાન માટેની સોયની તપાસ પહેલા
- કેન્સરના ઓપેરશન પહેલા
તે કોણે કોણે કરાવવો જોઈએ ?
- દરેક સ્ત્રી કે જેમની ઉંમર ૪૦ વર્ષ કે તેનાથી વધુ હોય .
- જો તમને સ્તનમા ગાંઠ હોય એવું લાગતું હોય
- જો પરિવારના સભ્યોમાં સ્તનનું કેન્સર હોય
- જો તમને હાલના થોડા સમયમાં તમારા સ્તનના આકાર, સાઇઝ મા ફેરફાર થયો હોય તેવું જણાય, કે સ્તનની ચામડીમા લાલાશ આવી ગઈ હોય
શા માટે વહેલું નિદાન જરૂરી છે?
- વહેલું નિદાન એ રોગ મટાડી શકે છે, સ્તન બચાવી શકે છે, જીવ બચાવી શકે છે તથા તેમા સારવારની પદ્ધતી સરળ તેમજ ઓછી આક્રમક હોય છે
આભાર
🙏
ચાલો, કેન્સરને સાથે મળીને હરાવીયે
No comments:
Post a Comment