Wednesday, November 20, 2024

મેમોગ્રાફી ( mammography ) એટલે શું? તે શા માટે કરવામાં આવે છે ? અને તે કોણે કોણે કરાવવો જોઈએ ?

મેમોગ્રાફી એટલે શું?

  • આ એક પ્રકારનો એક્સ-રે છે જેમાં સ્તનના ૨ અલગ અલગ દિશાએથી ફોટો પાડવામાં આવે છે 

તે શા માટે કરવામાં આવે છે ?
  • કેન્સરના સ્ક્રીનિંગ માટે કે જે થી તેનું વહેલું નિદાન થઈ શકે અને જીવ બચી શકે 
  • કેન્સરના નિદાન માટેની સોયની તપાસ પહેલા 
  • કેન્સરના ઓપેરશન પહેલા


તે કોણે કોણે કરાવવો જોઈએ ?

  • દરેક સ્ત્રી કે જેમની ઉંમર ૪૦ વર્ષ કે તેનાથી વધુ હોય .
  • જો તમને સ્તનમા ગાંઠ હોય એવું લાગતું હોય
  • જો  પરિવારના સભ્યોમાં સ્તનનું કેન્સર હોય
  • જો તમને હાલના થોડા સમયમાં તમારા સ્તનના આકાર, સાઇઝ મા ફેરફાર થયો હોય તેવું જણાય, કે સ્તનની ચામડીમા લાલાશ આવી ગઈ હોય
શા માટે વહેલું નિદાન જરૂરી છે?

  • વહેલું નિદાન એ રોગ મટાડી શકે છે, સ્તન બચાવી શકે છે, જીવ બચાવી શકે છે તથા  તેમા સારવારની પદ્ધતી સરળ તેમજ ઓછી આક્રમક હોય છે

આભાર
🙏 
ચાલો, કેન્સરને સાથે મળીને હરાવીયે

No comments:

Post a Comment